Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

અંકલેશ્વરમાં મહિલાની ધારદાર હથિયારથી ગોઝારી હત્યા

તપાસ માટે એફએસએલ અને સીસીટીવીની મદદ લેવાઈ

હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ,તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ — ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ વિસ્તારની આનંદ વિહાર સોસાયટીમાં એક હૃદયકંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતી ૩૯ વર્ષીય મહિલાની અજાણ્યા શખ્સ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાની ઓળખ ૩૯ વર્ષીય રમિલાબાઈ રામસિંગ વસાવે તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરે રમિલાબાઈ પર તીક્ષ્ણ કે ધારદાર હથિયાર વડે હુમલો કરી તેમના શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. રક્તરંજિત હાલતમાં ઈજાઓ થવાના કારણે રમિલાબાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

હત્યાની ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે, અને બનાવ અંગે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવા એફએસએલની ટીમની મદદ લીધી છે. આ ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે સ્થાનિક લોકો અને પરિજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂની અદાવત, અંગત વૈર કે પછી કોઈ અન્ય કારણોસર આ હત્યા કરવામાં આવી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ડૉ. તારક પટેલને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત

Master Admin

જુનિપર ગ્રીન એનર્જીએ ભારતની સૌથી મોટી પવન ટર્બાઇન કાર્યરત કરી; રાજસ્થાન અને ગુજરાતમાં પવન ઊર્જા ક્ષેત્રે હાજરી વધુ મજબૂત બનાવી

Master Admin

ગુજરાતમાંથી જૈશના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

Reporter1

Leave a Comment

Translate »