RCB કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું
આઈપીએલ મેચ દરમિયાન વિરાટ કોહલીને ઈજા થઈ હતી અને પરિણામે તે ફિલ્ડિંગ કરવા આવ્યો નહોતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ — IPL 2026માં ૧૩ એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સને કારમી હાર આપી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે, તે બીજી ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરવા આવ્યો નહોતો અને તે ડગઆઉટમાં બેઠો રહ્યો હતો, જેના કારણે ચાહકોની ચિંતા વધી ગઈ. દરેકના મનમાં પ્રશ્ન એ છે કે કોહલી ફિટ છે કે નહીં. હવે, રજત પાટીદારે વિરાટ કોહલીની ઈજા અંગે એક મોટી અપડેટ આપી છે.
મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન RCB કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું હતું કે વિરાટ કોહલીની ઈજાની ચોક્કસ ગંભીરતા હજુ સુધી જાણી શકાઈ નથી. RCB મેનેજમેન્ટ કોઈ બિનજરૂરી જોખમ લેવા માંગતું નહોતું, જેના કારણે તેને મેદાનની બહાર રાખવામાં આવ્યો હતો. પાટીદારે એ પણ સંકેત આપ્યો કે કોહલી સ્વસ્થ છે. તેણે કહ્યું, મને હજુ સુધી સંપૂર્ણ વિગતો ખબર નથી, પરંતુ હું માનું છું કે તે ઠીક છે. રજતના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કોહલીની ઈજા ગંભીર નથી અને તે આગામી મેચ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે.
પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કુલ ૨૪૦ રન બનાવ્યા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ફક્ત ૨૨૨ રન જ બનાવી શકી. ઇઝ્રમ્એ ૧૮ રનના માર્જિનથી મેચ જીતી લીધી. વિરાટ કોહલીની ઈજા ઉપરાંત રજત પાટીદારે RCB જીત વિશે પણ વાત કરી. તેણે આ જીતનો શ્રેય વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ દ્વારા આપવામાં આવેલી મજબૂત શરૂઆતને આપ્યો.
તેણે કહ્યું કે બેટિંગ પ્રત્યેના અમારા અભિગમમાં સ્પષ્ટતા સ્પષ્ટ છે. વિરાટ ભાઈ અને ફિલ સોલ્ટે જે રીતે અમને શરૂઆત આપી તે ખરેખર અમારા પક્ષમાં પરિણામ લાવ્યું. ત્યારબાદ મેં અને ટીમે ઇનિંગ્સની જવાબદારી સંભાળી. મને લાગે છે કે આખી ટીમે સામૂહિક પ્રયાસ કર્યો. વાનખેડે સ્ટેડિયમનું વાતાવરણ એકદમ શાનદાર છે અને અહીં આવીને ખૂબ આનંદ થાય છે. ભરચક સ્ટેડિયમમાં રમવાથી તમને ખરેખર એક અનોખી અનુભૂતિ થાય છે.

