સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
પ્રેમનો ઈતિહાસ એટલે ત્યાગ, વેદના અને સમર્પણનો ઈતિહાસ. દુનિયામાં કેટલીક પ્રેમ કહાનીઓ એવી છે જે સદીઓ વીતી જવા છતાં આજે પણ આપણા દિલને સ્પર્શે છે. આવી જ ૫ અમર પ્રેમગાથાઓ.
૧. હીર-રાંઝા – પંજાબની માટીની સુગંધ
હીર સિયાલ કબીલાની દીકરી અને રાંઝા તખ્ત હઝારાનો રાજકુમાર. ઘર છોડીને રાંઝા હીરના ગામ ભેંસો ચરાવવા આવ્યો. બંસરીના સૂરથી શરૂ થયેલો પ્રેમ જાતિના કારણે તૂટ્યો. હીરના લગ્ન બીજે થયા, રાંઝા જોગી બન્યો. અંતે બંનેએ ઝેર ખાઈને એક થવાનું પસંદ કર્યું.
શીખઃ સાચો પ્રેમ સામાજિક બંધનોને નથી માનતો. વારસી શાહે આને અમર બનાવી.
૨. સોની-મહિવાલ – ચેનાબ નદીની સાક્ષી
સોની કુંભારની દીકરી. મહિવાલ બુખારાનો વેપારી. સોની માટે મહિવાલ નોકર બન્યો. રોજ રાતે ચેનાબ નદી તરીને મળવા જતા. લગ્ન પછી પણ પ્રેમ ના ભૂલ્યો. એક રાતે તોફાનમાં સોની માટલાના સહારે નદીમાં હતી. મહિવાલે બચાવવા ઝંપલાવ્યું. બંને ડૂબી ગયા.
શીખઃ સાચા પ્રેમ માટે જાનની પણ પરવા નથી.
૩. લૈલા-મજનુ – આરબની સૌથી મોટી પ્રેમગાથા
કૈસ અને લૈલા બાળપણના મિત્ર. મોટા થતા પ્રેમ થયો. પણ જાતિને કારણે લૈલાના લગ્ન બીજે કરાવી દીધા. કૈસ વિરહમાં “મજનુ” એટલે પાગલ થઈ ગયો. રણમાં ભટકીને લૈલા માટે શેર લખ્યા. કહેવાય છે બંનેનું મૃત્યુ એક જ દિવસે થયું.
શીખઃ પ્રેમમાં ત્યાગ અને વેદના પણ હોય છે.
૪. શિરી-ફરહાદ – પથ્થર તોડતો પ્રેમ
ઈરાનની રાણી શિરીના પ્રેમમાં શિલ્પકાર ફરહાદ પડ્યો. બાદશાહે શરત મૂકી “પર્વતમાંથી નહેર કાઢ તો શિરી તારી”. ફરહાદે પર્વત ચીર્યો. પણ ખોટા સમાચારથી “શિરી મરી ગઈ” માનીને તેણે આપઘાત કર્યો. સાચા સમાચાર મળતા શિરીએ પણ જાન આપી.
શીખઃ મહેનત અને સમર્પણનું નામ જ સાચો પ્રેમ.
૫. આસુક-માશુક – હિંમતનું પ્રતીક
આ પંજાબની ત્રીજી મોટી લોકગાથા છે. આસુક પટિયાલાનો જટ્ટ ખેડૂતનો દીકરો. માશુક પડોશી ગામની જટ્ટની દીકરી. બાળપણનો પ્રેમ. પણ માશુકના માતા-પિતાએ તેના લગ્ન બીજે નક્કી કર્યા.
લગ્નના દિવસે આસુકે બારાત પર હુમલો કરીને માશુકને ભગાડી. રસ્તામાં માશુકના ભાઈઓ અને ગામવાળાઓ સાથે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં આસુક અને માશુક બંને લડતા-લડતા શહીદ થયા.
શીખઃ આ કહાની “પ્રેમ માટે લડવું” શીખવે છે. આજે પણ પંજાબી ઢોલા અને લોકગીતોમાં તેમના નામ ગવાય છે.
આ ૫ કહાનીઓનો સાર
૧. વિરોધઃ બધામાં સમાજ, જાતિ, રાજા અડચણ બન્યા.
૨. ત્યાગઃ જીવ આપીને પણ વફાદારી નિભાવી.
૩. અમરતાઃ શરીર ગયા પણ નામ લોકસાહિત્યમાં જીવંત છે.
એ વાસ્તે પણ નવી પેઢી માટે સંદેશઃ પ્રેમનો અર્થ ફક્ત “મળવું” નથી. તેનો અર્થ છે “સમજવું, સાથ આપવો અને જરૂર પડે લડવું

