Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પેટ્રોલમાં લીટરે રૂ.૧૪, ડીઝલમાં રૂ.૧૮ની ખોટ

ઓઈલ કંપનીઓ ખોટ ખાઈ વેચાણ કરી રહી છે

સલ્ફર અને એમોનિયા જેવા કેમિકલ્સની કિંમતમાં થયેલાં વધારાને કારણે કુદરતી ગેસની કિંમતમાં વધારો થયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે સર્જાયેલી ઈંધણની કટોકટીની સીધી અસર ઓઈલ કંપનીઓના નફા પર પડી છે. ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હાલ પેટ્રોલમાં લીટર દીઠ રૂ. ૧૪ અને ડીઝલમાં રૂ. ૧૮ની ખોટ ખાઈ વેચાણ કરી રહી છે. યુદ્ધને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલો વધારો, ઈંધણની રિટેલ કિંમતના ભાવનિયંત્રણને વટાવી જતાં કંપનીઓના નફો સંકાચાયો છે.પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થઈ રહેલી ખોટ ઉપરાંત અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ઉર્જાની કિંમતોમાં થયેલાં વધારાને પરિણામે ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીઓને રાંધણ ગેસ એલપીજીના વેચાણ પર રૂ. ૮૦,૦૦૦ કરોડની ખોટ જશે. જ્યારે ફર્ટિલાઈઝર સબસિડી રૂ. ૨.૦૫ લાખ કરોડથી વધીને રૂ.૨.૨૫ લાખ કરોડ થવાની સંભાવના છે. બે મહિના અગાઉ પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયું તે સમયે ક્રૂડનો બેરલ દીઠ ભાવ ૭૦-૭૨ ડોલર જેટલો હતો.વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં નોંધાયેલાં તીવ્ર ઉછાળા છતાં ઈંધણના છૂટક ભાવ સ્થિર રહેવાને કારણે ઓઈલ કંપનીઓના નફા પર માઠી અસર પડી છે. ક્રૂડના બેરલ દીઠ ૧૨૦-૧૨૫ ડોલરના ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલ પરની ઓઈલ કંપનીઓને લીટર દીઠ અનુક્રમે, રૂ.૧૪ અને રૂ.૧૮ની ખોટ સહન કરવી પડી રહી છે. કાચા માલની કિંમત તથા ઉર્જા ખર્ચમાં થયેલા વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ, ફર્ટિલાઈઝર્સ, કેમિકલ્સ તથા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરની નફાકારકતા ખોરવાઈ છે. નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, કિંમતોમાં જોવાયેલાં તીવ્ર ઉછાળાની અસર ફર્ટિલાઈઝર સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. સલ્ફર અને એમોનિયા જેવા કેમિકલ્સની કિંમતમાં થયેલાં વધારાને કારણે કુદરતી ગેસની કિંમતમાં વધારો થયો છે. યુદ્ધ પહેલાં યુરિયા પૂલની કિંમત એમએમબીટીયુ દીઠ ૧૩ ડોલર હતી, જે વધીને હાલ ૧૯ ડોલર થઈ છે. કાચા માલસામાનની કિંમતમાં થયેલાં નોંધપાત્ર ઉછાળો તથા સબસિડીમાં અપૂરતા સુધારાને લીધે ફર્ટિલાઈઝર કંપનીઓનો નફાકારકતા પર પણ અસર જોવાશે.

Related posts

દેશમાં હવે ભીષણ ગરમી પડશે, સુપર અલ-નિનોને કારણે એલર્ટ

Master Admin

૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દિલ્હીના લાલ કિલ્લા પરથી યોજાશે : પીએમ મોદી ધ્વજવંદન કરશે

Master Admin

ઓડિશાના ચાંદીપુરમાં નિબે લિમિટેડે સૂર્યાસ્ત્ર ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

Master Admin

Leave a Comment

Translate »