Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ ટક્કર એટલી બધી ભયાનક હતી કે ટ્રેક્ટરમાં સવાર દસ લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતાં. આ કરુણ ઘટનાના સમાચાર પૂજ્ય મોરારીબાપુને મળતા તેમણે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ બનારસ સ્થિત રામકથાના શ્રોતા શ્રી કિશનભાઇ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

આગમાંથી શીખવુંઃ તે ફક્ત એક વ્યક્તિ કે સંસ્થાની નિષ્ફળતા નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતા છે – જવાબદારી, સંસ્થાકીય નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને ભવિષ્યની સુરક્ષા પર વૈશ્વિક દ્રષ્ટિકોણનું વ્યાપક વિશ્લેષણ

Master Admin

શું વિશ્વ બીજી કોવિડ-૧૯ જેવી પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે?-અફવાઓ વિરુદ્ધ જમીની વાસ્તવિકતાઓ – ભય,મૂંઝવણ અને બદલાતી વૈશ્વિક વાસ્તવિકતા

Master Admin

મા રેવાના તીરે,વિશ્વ વિખ્યાત કબીરવડનાં સાંન્નિધ્યમાં ૯૪૯મી કથા

Reporter1
Translate »