Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of Indianational

૨૦૧૪ પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો : મોદી

મોદીના નેતૃત્વવાળી NDA સરકારના ૧૨ વર્ષ પૂર્ણ

અમારી સરકારે દેશના મધ્યમ વર્ગની તકલીફોને ખૂબ નજીકથી સમજી છે અને તેને દૂર કરવા કામ કર્યું : મોદી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦ જૂન ૨૦૨૬ — કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારના સફળ ૧૨ વર્ષ પૂરા થવાના અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એક મોટી બેઠક યોજાઈ હતી. આ ખાસ બેઠકમાં પીએમ મોદીના ઐતિહાસિક કાર્યકાળને બિરદાવવા માટે તમામ સહયોગી પક્ષો દ્વારા એક ખાસ અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી વડાપ્રધાન પોતે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે લાંબા સમય સુધી દેશ સાથે દગો કર્યો, પરંતુ ૨૦૧૪ પછી ભારતે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી છે. આ ઐતિહાસિક પ્રસંગે પીએમ મોદીએ દેશના વિકાસ, અર્થતંત્ર અને સુરક્ષાને લઈને ૧૦ સૌથી મહત્વની વાતો કહી હતી.

પીએમ મોદીના સંબોધન અને આ બેઠકની ૧૦ મુખ્ય વાતો નીચે મુજબ છેઃ

૧. મધ્યમ વર્ગની ચિંતા અને ડિજિટલ ક્રાંતિઃ પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે દેશના મધ્યમ વર્ગની તકલીફોને ખૂબ નજીકથી સમજી છે અને તેને દૂર કરવા કામ કર્યું છે. આજે ભારત ડિજિટલ પેમેન્ટની બાબતમાં આખી દુનિયામાં નંબર ૧ પર પહોંચી ગયું છે, કારણ કે અમે હંમેશા નેશન ફર્સ્ટ (રાષ્ટ્ર પ્રથમ)ની ભાવના સાથે કામ કરીએ છીએ.

૨. સૌથી ઝડપી ઇકોનોમીઃ આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અમારા માટે દેશ હંમેશા પક્ષ કરતાં મોટો રહ્યો છે અને ૨૦૧૪ પછી દેશના વિકાસે સુપરફાસ્ટ સ્પીડ પકડી છે.

૩. કલમ ૩૭૦ નાબૂદીઃ કોંગ્રેસના શાસનકાળ અને NDA સરકારના વિકાસ દરમાં આસમાન-જમીનનો તફાવત છે. ૨૦૧૪ પછી દેશનું ભાગ્ય બદલાયું છે, અને તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને બતાવી.

૪. કોંગ્રેસના શાસન પર પ્રહારઃ કોંગ્રેસે ભૂતકાળમાં પોતાની રાજકીય નિષ્ફળતાઓ છુપાવવા માટે દેશની મોટી વસ્તી પર ખોટા કલંક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ કલમ ૩૭૦ નાબૂદ થતાં જ ત્યાં સાચા અર્થમાં દેશનું બંધારણ લાગુ થયું છે. કોંગ્રેસે હંમેશા દેશ સાથે વિશ્વાસઘાત જ કર્યો છે.

૫. વર્ષ ૨૦૪૭ નું મોટું લક્ષ્યઃ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે આપણે વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો સતત વધારવો પડશે. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે ભારતનો સાચો સમય હવે આવી ગયો છે.

૬. ભવિષ્યની નવી શક્યતાઓઃ ૨૦૪૭ ના વિઝનને પૂરું કરવા માટે આપણે વિકાસની સ્પીડ હજુ પણ વધારવી પડશે. આપણું ભવિષ્ય નવી અને મોટી શક્યતાઓથી ભરેલું છે અને અમે હંમેશા દેશહિતમાં સમજી-વિચારીને મજબૂત નિર્ણયો લીધા છે.

૭. આતંકવાદ અને નક્સલવાદ પર ફૂલ સ્ટોપઃ એક સમય હતો જ્યારે ભારતે આતંકવાદી હુમલાઓનું ભારે દુઃખ સહન કરવું પડતું હતું, પરંતુ આજે આપણે આતંકીઓ સામે ઘરમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી બતાવી છે. આ સાથે જ દેશમાંથી નક્સલવાદને પણ સરકારે મૂળમાંથી નાબૂદ કરી દીધો છે.

૮. આત્મનિર્ભર ભારતઃ દેશના હિતમાં મોટા અને કડક નિર્ણયો લેવાની આ પ્રક્રિયા ભવિષ્યમાં વધુ ઝડપી બનશે. આપણે દુનિયાથી એક ડગલું આગળ રહેવું પડશે અને હવે ભારત કોઈપણ બાબત માટે વિદેશી દેશો પર નિર્ભર નહીં રહે.

૯. સાથી પક્ષોનો મજબૂત ટેકોઃ આ બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદીના સન્માનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને નાગાલેન્ડના સીએમ નેફ્યુ રિયો, જીતન રામ માંઝી, એચડી કુમારસ્વામી, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી અને વિષ્ણુદેવ સાઈ સહિત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂરો ટેકો આપ્યો હતો. જ્યારે આ પ્રસ્તાવનું વાંચન અનુપ્રિયા પટેલે કર્યું હતું.

૧૦. પીએમ મોદી એક તપસ્વીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીએમ મોદીના ૧૨ વર્ષના શાસનને બિલકુલ દોષરહિત ગણાવતા કહ્યું કે, પીએમ મોદી એક સાચા તપસ્વી અને સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેમણે સબકા સાથ, સબકા વિશ્વાસના મંત્ર સાથે ગઠબંધનના તમામ નેતાઓને સાથે રાખીને દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે.

Related posts

કોંગ્રેસના શાસનમાં મોંઘવારી ૧૨% હતી, અમે ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા

Master Admin

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ

Master Admin

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Master Admin

Leave a Comment

Translate »