Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

કેન્યામાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિકરીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

અમદાવાદ, ગુજરાત | ૨૯ મે ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નકુરુ ખાતે આગ દુર્ઘટનામાં ૧૬ છાત્રાઓએ પ્રાણ ગુમાવ્યા છે. કેન્યાના નકુરુમાં આવેલ કન્યા છાત્રાલયમાં રહીને અનેક વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ છાત્રાલયમાં મધ્ય રાત્રિએ અચાનક જ આગ લાગી હતી અને તેમાં ૧૬ આશાસ્પદ દીકરીઓનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારિબાપુની રામકથા કિલ્લારી લાતુરમાં ચાલી રહી છે ત્યારે તેમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. પૂજ્ય બાપુ તરફથી હનુમંત સંવેદના રુપે પ્રત્યેક દીકરીનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૪૦,૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે જે નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત દીકરીઓના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિવારને સાંત્વના પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

Master Admin

વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

Master Admin

Leave a Comment

Translate »