Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AwarenessbusinessHealth Care

એમએસડી ઇન્ડિયાએ માધુરી દિક્ષિત સાથે દેશવ્યાપી સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન શરૂ કર્યું

  • દર સાત મિનિટે, ભારતમાં લગભગ એક મહિલાનું સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થાય છે, જ્યારે આ બીમારી મોટાભાગે ટાળી શકાય તેવી છે. 

મુંબઈ | ૦૬ મે ૨૦૨૬ | એમએસડી (જેને યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં મર્ક એન્ડ કંપની, ઇંક., રહવે, એન.જે., યુએસએ તરીકે ઓળખવામાં આવે છે) એ આજે ભારતમાં તેના સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનની શરૂઆતની જાહેરાત કરી. આ અભિયાન પ્રખ્યાત અભિનેત્રી, જાહેર વ્યક્તિત્વ અને માતા માધુરી દિક્ષિત નેનેના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ મહિલાઓના પ્રતિરોધાત્મક આરોગ્ય અંગેની ચર્ચાઓને આગળ લાવવાનો છે અને સમગ્ર ભારતની મહિલાઓ અને માતા-પિતાને સર્વાઇકલ કેન્સર અને તેની યોગ્ય પ્રતિરોધાત્મક આરોગ્ય સેવાઓ અંગે તેમના ડોક્ટર સાથે વાત કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

સર્વાઇકલ કેન્સર ભારતની મહિલાઓને અસર કરનાર સૌથી સામાન્ય કેન્સરમાંથી એક છે. સમયસર ડોક્ટરની સલાહ લેવી અને યોગ્ય પ્રતિરોધાત્મક પગલાં લેવાથી આ બીમારીને મોટાભાગે ટાળી શકાય છે, છતાં ભારતમાં દર સાત મિનિટે લગભગ એક મહિલાનું મૃત્યુ થાય છે, જે દરરોજ લગભગ 200 મૃત્યુ બરાબર છે(ગ્લોબોકેન એચપીવી ઇન્ડિયા રિપોર્ટ 2023 મુજબના આંકડા). આ અભિયાન ખાસ કરીને મહિલાઓમાં જાગૃતિના અભાવ અને પ્રતિરોધાત્મક આરોગ્યસેવા લેવાની વૃત્તિમાં થતો વિલંબ જેવી મહત્વપૂર્ણ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

આ પહેલના ભાગરૂપે, માધુરી દિક્ષિતને સમાવેશ કરતી ટૂંકી ડિજિટલ ફિલ્મોની એક શ્રેણી વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રજૂ કરવામાં આવી. સરળ, સમજાય તેવી, તથ્ય આધારિત અને માહિતીપૂર્ણ સંદેશાઓ દ્વારા આ ફિલ્મો સર્વાઇકલ કેન્સર વિશેના મહત્વપૂર્ણ તથ્યો, તેનું હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) (2) સાથેનું જોડાણ અને આરોગ્ય નિષ્ણાતોની સલાહ લેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મો મહિલાઓ અને માતા-પિતાને સર્વાઇકલ કેન્સરથી બચાવ માટે ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન સાથે વાતચીતને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરે છે અને આરોગ્ય નિષ્ણાતો સાથે જાગૃતિ અને યોગ્ય માહિતી આધારિત ચર્ચાના મહત્વને મજબૂત બનાવે છે.

આ પહેલ વ્યક્તિઓ અને પરિવારોને વિચાર કરવા પ્રેરિત કરે છે કે અસરકારક પ્રતિરોધાત્મક વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં, આરોગ્ય સંબંધિત નિર્ણયો ઘણી વખત લક્ષણો દેખાય ત્યાં સુધી મોડા કરવામાં આવે છે. આ અભિયાન આ બાબત પર ભાર મૂકે છે કે સર્વાઇકલ કેન્સર એવો બીજો રોગ ન બને જેનો પતો મોડા તબક્કે ચાલે.

આ પહેલ અંગે બોલતા, એમએસડી ઇન્ડિયા ક્ષેત્રના મેનેજિંગ ડિરેક્ટર બ્રેખ્ત વેનેસ્ટે કહ્યું, “સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અને સમયસર ડોક્ટરની સલાહ લેવી જાહેર આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. એચપીવી અને પ્રતિરોધાત્મક આરોગ્યસેવા અંગે જાગૃતિ વધારવાથી મહિલાઓના લાંબા ગાળાના આરોગ્ય પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. એમએસડી ખાતે, અમે એવી પહેલોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે માહિતીસભર ચર્ચાને પ્રોત્સાહન આપે અને મહિલાઓને તેમના આરોગ્યની સુરક્ષા માટે સક્રિય પગલાં લેવા સશક્ત બનાવે છે.”

આ પહેલ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં, માધુરી દિક્ષિતએ કહ્યું, “મહિલાઓ ઘણીવાર બધાની સંભાળ રાખતા રાખતા પોતાનું આરોગ્ય છેલ્લે મૂકે છે. મહિલાઓના આરોગ્યને યોગ્ય ધ્યાન, પ્રાથમિકતા અને ખુલ્લી ચર્ચાની જરૂર છે. સર્વાઇકલ કેન્સર એવો કેન્સર છે જેમાં જાગૃતિ અને યોગ્ય માહિતી આધારિત ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પહેલ દ્વારા, મને આશા છે કે વધુ મહિલાઓ અને પરિવારો સર્વાઇકલ કેન્સર અને તેના યોગ્ય પ્રતિરોધાત્મક ઉપાયો વિશે તેમના ડોક્ટર સાથે વાત કરવા માટે આત્મવિશ્વાસ અનુભવશે. ડોક્ટર સાથે વાત કરવી એ પોતાનું ધ્યાન રાખવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેને ક્યારેય મુલતવી રાખવું નહીં.”

આ અભિયાન દ્વારા, એમએસડીનો હેતુ પ્રતિરોધ, જાગૃતિ અને માહિતીસભર નિર્ણય લેવાના વિષય પર કેન્દ્રિત વિસ્તૃત જાહેર આરોગ્ય પ્રયત્નોમાં યોગદાન આપવાનો છે. સમયસર ચર્ચાઓને પ્રોત્સાહન આપી અને જાગૃતિ વધારીને, આ પહેલ સમગ્ર ભારતની મહિલાઓ અને પરિવારો માટે વધુ સ્વસ્થ ભવિષ્યને સમર્થન આપવા પ્રયત્ન કરે છે. સર્વાઇકલ કેન્સર અને પ્રતિરોધાત્મક આરોગ્યસેવા અંગે માહિતી માટે કૃપા કરીને લાયક આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.

Related posts

At ‘Kids Day@Samsung – 2025’, Workplaces Turn Into  Playgrounds of Innovation

Reporter1

એસપીજેઆઈએમઆર સીએફબીઈ રિપોર્ટ: વધતા જતા વૈશ્વિક અને કૌટુંબિક વ્યવસાયનાં જોખમો વચ્ચે ભારતના એસએમઈ નિકાસકારો આશાવાદી રહ્યા છે

Master Admin

ધિલ્લોન ફ્રેઇટ કેરિયર લિમિટેડ ₹10.08 કરોડનું IPO 29 સપ્ટેમ્બરથી લાવશે

Reporter1

Leave a Comment

Translate »