Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રાલયની સંભાળી જવાબદારી

રવિવારે રજાના દિવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જોશીના હાથમાં સોંપવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ જુલાઈ ૨૦૨૬ — કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જોશીના હાથમાં સોંપવામાં આવી છે. પદભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જોવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. દ્ગઈઈ્‌ પેપર લીક વિવાદે દેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા નિર્ણયો પર છે. સવાલ માત્ર એ નથી કે નવા મંત્રી કોણ છે, પરંતુ એ પણ છે કે શું હવે પરીક્ષા વ્યવસ્થામાં ખરેખર મોટા ફેરફારો જોવા મળશે કે પછી આ બધું માત્ર કાગળો પૂરતું જ રહેશે.

પ્રહલાદ જોશીએ એવા સમયે શિક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી છે, જ્યારે સરકાર પર પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો ફરીથી વિશ્વાસ સ્થાપિત કરવાનું સૌથી મોટું દબાણ છે. દ્ગઈઈ્‌-ેંય્ પેપર લીક વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્‌છ)થી લઈને સમગ્ર પરીક્ષા પ્રણાલીની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સરકાર પહેલેથી જ પેપર લીક સામે કડક કાયદો લાવવાની તૈયારી કરી ચૂકી છે. હવે ચર્ચા છે કે દ્ગઈઈ્‌-ેંય્ પરીક્ષામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ્‌સ મુજબ, ભવિષ્યમાં પરીક્ષાને કમ્પ્યુટર આધારિત બનાવવામાં આવી શકે છે અને બે તબક્કામાં યોજવા જેવા વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. જોકે આ ફેરફારો અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નવા શિક્ષણ મંત્રી સામે પરીક્ષા પ્રણાલીને પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો સૌથી મોટો પડકાર હશે.

રવિવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સત્તાવાર રીતે શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમણે સિનિયર અધિકારીઓ સાથે સંક્ષિપ્ત સમીક્ષા બેઠક કરી. પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. તેમની પાસે પહેલેથી જ નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયની જવાબદારી છે. ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, “મારા માટે આ વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી અને છેલ્લા દસ દિવસમાં જે ઘટનાઓ બની, તેનાથી હું વ્યથિત છું.” તેમના રાજીનામા બાદ પ્રધાનમંત્રીની સલાહ પર શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી પ્રહલાદ જોશીને સોંપવામાં આવી. પ્રહલાદ જોશી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ કર્ણાટકના ધારવાડ લોકસભા વિસ્તારમાંથી સતત પાંચ ટર્મથી સાંસદ છે. સંગઠન અને સંસદીય કાર્યોમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં લઈને પાર્ટી નેતૃત્વે તેમને આ વધારાની જવાબદારી સોંપી છે.

નવા શિક્ષણ મંત્રી સામે સૌથી મોટો પડકાર પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ પાછો લાવવાનો છે. દ્ગઈઈ્‌ પેપર લીક વિવાદ બાદ સરકાર પર દ્ગ્‌છમાં સુધારા, પરીક્ષા સુરક્ષાને મજબૂત બનાવવા અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગડબડ અટકાવવાનું દબાણ છે.

આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ (દ્ગઈઁ)ના અસરકારક અમલીકરણ, ઝ્રમ્જીઈ અને દ્ગઝ્રઈઇ્‌ સાથે જોડાયેલા સુધારા, ભરતી પરીક્ષાઓની પારદર્શિતા અને પરીક્ષા પ્રક્રિયામાં ટેક્નોલોજીના વધુ સારા ઉપયોગ જેવા અનેક મહત્ત્વના મુદ્દા પણ તેમની સામે હશે.

Related posts

ગુજરાત તરફ આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત

Master Admin

તેલ અને ગેસ પછી, હવે દવાઓનું સંકટ, યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન

Master Admin

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે?

Master Admin

Leave a Comment

Translate »