Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
internationalnational

ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે

વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલેન્ડના પ્રમુખનું નિવેદન

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને યાદ કરતા સ્ટબે તેને પોતાના માટે સન્માન અને સૌભાગ્યની વાત ગણાવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ફિનલેન્ડ, તા.૭ માર્ચ ૨૦૨૬ — ફિનલેન્ડના પ્રમુખ અલેક્ઝાન્ડર સ્ટબે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતની મુત્સદ્દીગીરી અને વધતા વૈશ્વિક કદની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારત દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ છે, જે વૈશ્વિક વિવાદોમાં દરેક પક્ષ સાથે વાતચીત કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ટબે ભારતની વિદેશનીતિને અત્યંત વ્યવહારુ અને વાસ્તવિક ગણાવી હતી. તેમના મતે, રશિયા, યુક્રેન અને અમેરિકા જેવા દેશો સાથે ભારતના સંતુલિત સંબંધો તેને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં એક વિશેષ અને મજબૂત સ્થાન અપાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદ કરતા સ્ટબે તેને પોતાના માટે સન્માન અને સૌભાગ્યની વાત ગણાવી હતી. તેમણે પીએમ મોદી સાથે લગભગ ૩ કલાક સુધી વિશ્વભરના સંઘર્ષો, ચીન, અમેરિકા અને રશિયા સાથેના સંબંધો તેમજ દ્વિપક્ષીય હિતો પર ગહન ચર્ચા કરી હતી. સ્ટબે ચિંતા વ્યક્ત કરી હતી કે આધુનિક સંઘર્ષો હવે માત્ર સ્થાનિક મર્યાદિત નથી રહ્યા, પરંતુ પ્રાદેશિક સંકટ બની રહ્યા છે, જેના કારણે તેલની કિંમતો, વેપાર અને દરિયાઈ માર્ગો પ્રભાવિત થાય છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયાની રણનીતિ નિષ્ફળ રહી છે, કારણ કે તેના હુમલા બાદ યુક્રેન વધુ યુરોપિયન બન્યું છે અને નાટો (દ્ગછર્‌ં)નું વિસ્તરણ પણ થયું છે.

ભારતના ભવિષ્ય અંગે અત્યંત આશાવાદી જણાતા ફિનલેન્ડના પ્રમુખએ કહ્યું કે ભારતની વિશાળ વસ્તી, ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને ગૌરવશાળી ઇતિહાસ એ સંકેત આપે છે કે આગામી સમય ભારતનો જ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતાનું સમર્થન કરતા જણાવ્યું કે વૈશ્વિક સંસ્થાઓએ ૧૯૪૫ના બદલે આજની વાસ્તવિકતા મુજબ કાર્ય કરવું જોઈએ. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ફિનલેન્ડ નાટોમાં પોતાની સુરક્ષા માટે જોડાયું છે, પરંતુ તે પોતાની ધરતી પર પરમાણુ હથિયારો રાખશે નહીં.

Related posts

રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ, ૧૫ લોકોના મોત

Master Admin

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ

Master Admin

બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

Reporter1

Leave a Comment

Translate »